શ્રી ભગીરથભાઈ બેરડિયા ભાવનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ ગુજરાત હાઇકોર્ટના વકીલ છે.
- વાલ્મિકી સમાજના હક્ક અને અધિકારો માટે દર મહિને "કાયદાકથા" દ્વારા કાયદાકીય જાગૃતિ ફેલાવે છે.
- સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે.
- તેઓએ અખિલ ગુજરાત વાલ્મિકી વિકાસ સમિતિ દ્વારા ભાવનગરમાં શૈક્ષણિક હબ (ધો. 1 થી12 અને કોલેજ સુધી ) માટે કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરી છે.
- "ગુથલી લાડુ" મૂવીમાં વાલ્મિકી સમાજ પર અભદ્ર ટીપ્પણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરી અને ફિલ્મ રિલીઝ થતી અટકાવી હતી.
- તેઓ 2020 માં ગઢડા-ઉમરાળા બેઠક પરથી વિધાનસભાની અપક્ષ ચૂંટણી લડ્યા હતા.
- તેઓ 2022 ભાવનગર જીલ્લા કો.ઓપ. બેંકની ડિરેક્ટર ચૂંટણીમાં 5 મતે પરાજય થયા હતા
- થોડા સમયમાં તેઓ GPSC ના વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી GPSC ની તૈયારી કરી રહ્યા હોઈ તો તેઓનો સંપર્ક કરવો.