કાર્યો
શ્રી લાલજીભાઈ રાઠોડ ઉપલેટા વાલ્મિકી સમાજના ખુબ જ નામી સમાજ સેવક છે. તેઓ ફક્ત વાલ્મિકી સમાજ જ નહીં પણ અન્ય સમાજના લોકો માટે પણ સેવાકીય કાર્યો કરે છે.
- તેઓ ગરીબ દર્દીઓ, નિરાધાર વૃધ્ધો, ગરીબ સભર્ગા સ્ત્રીઓ, વિધવા બહેનો, રાખલતા અસ્થિર મગજનાં વ્યક્તિઓને બંને ટાઈમ વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા પુરી પાડે છે.
- તેઓ સમાજના વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે ટ્યુશન ક્લાસ અને સંસ્કાર કેન્દ્રો ચલાવે છે. તેમજ વ્યશનમુક્તિના કાર્યક્રમો કરે છે.
- બિનવારસી મૃત્યુ પામેલાઓના અંતિમ સંસ્કાર કરાવે છે.
- અકસ્માત સમયે ઘાયલ લોકોની સારવાર માટે મદદ કરે છે.
- નવજાત તરછોડાયેલા બાળકોને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે.
- માનવ સેવા ટ્રસ્ટના માધ્યમથી માનસિક અસ્થિર લોકોને સાચવવા માટે પાગલખાનું બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે.
- તેઓ સમાજના દરેક લોકો માટે અન્નક્ષેત્ર પણ ચલાવે છે
- તેઓ સમાજ માટે સ્વખર્ચે એમ્બ્યુલન્સ સુવિધા આપે છે.
હોદાઓ
માનવ સેવા ટ્રસ્ટ, ઉપલેટા - પ્રમુખશ્રી
સંપર્ક